દલપતરામ

દલપતરામ

દલપતરામ
Poet Dalpatram.jpg
કવિ દલપતરામ
જન્મની વિગત૨૧ જાન્યુઆરી, ૧૮૨૦
વઢવાણસુરેન્દ્રનગર જિલ્લોગુજરાતભારત.
મૃત્યુની વિગત૨૫ માર્ચ, ૧૮૯૮
અમદાવાદગુજરાતભારત.
રાષ્ટ્રીયતાભારતીય
હુલામણું નામલોકહિત ચિંતક, કવિશ્વર(ફાર્બસ સાહેબે)
અભ્યાસ
સ્વામી દેવાનંદ પાસે છંદ, અલંકાર અને ભાષાનો અભ્યાસ
સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતનો અભ્યાસ
વ્યવસાય
ફાર્બસ સાહેબ માટે ‘રાસમાળા’ની સામગ્રી માટે પરિભ્રમણ
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં મંત્રી
૧૮૫૫- બુદ્ધિપ્રકાશનું સંપાદન
૧૮૫૮- 'હોપ વાંચનમાળા'ની કામગીરીમાં મદદ
ખિતાબબ્રિટિશ સરકાર તરફથી સી. આઇ. ઇ. ઇલ્કાબ
ધર્મશ્રીમાળી બ્રાહ્મણ હિંદુ
જીવનસાથીરેવાબેન
સંતાનકવિ ન્હાનાલાલ
માતા-પિતાઅમૃતબા, ડાહ્યાભાઈ ત્રવાડી
ગુજરાતી સાહિત્યના પુનરોદ્ધારક કવિ દલપતરામનું નામ અગ્રગણ્યોમાં છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના વઢવાણ ગામમાં જાન્યુઆરી ૨૧, ૧૮૨૦ના રોજ થયો હતો. કવિ દલપતરામે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે. આ કાવ્યો ગુજરાત રાજયની પ્રાથમિક, માઘ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે.

અભ્યાસ

ગામઠી નિશાળમાં અક્ષરજ્ઞાન મેળવી આઠ વર્ષની વયથી જ એમણે સામવેદનો અભ્યાસ કરવા માંડેલો. મૂળી ગામમાં જઈ તેમણે દેવાનંદ સ્વામી પાસે પીંગળ અને અલંકાર શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું અને ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લીધી. અમદાવાદમાં સારસ્વત વ્યાકરણ તથા કુવલયાનંદનો અભ્યાસ કર્યો. તેમની પ્રથમ કવિતા 'બાપાની પીંપર' (૧૮૪૫) હતી. બચપણમાં એમણે ‘કમળલોચિની’ અને હીરાદંતી’ નામે બે વાર્તાઓ દોહરા ચોપાઈમાં રચેલી. ‘જ્ઞાનચાતુરી’ નામે એક ઉપદેશાત્મક કાવ્યગ્રંથ પણ લખેલો.

વ્યવસાય

કવિ દલપતરામનું બાવલું, તેમનાં સ્મારક નજીક, અમદાવાદ.
  • ગુજરાત વર્નાકુલર સોસાયટીમાં મંત્રી
  • ૧૮૫૫ - બુદ્ધિપ્રકાશનું સંપાદન
  • ૧૮૫૮ - 'હોપ વાંચનમાળા'ની કામગીરીમાં મદદ

પ્રદાન

  • કવિતા, હાસ્ય કવિતા, નિબંધ, પિંગળ શાસ્ત્ર, નાટક

મુખ્ય કૃતિઓ

તેમની મુખ્ય કૃતિઓ નીચે પ્રમાણે છે.[૧][૨]

સન્માન

  • બ્રિટિશ સરકાર તરફથી સી.આઇ.ઇ. ઇલ્કાબ

Comments