કેવડાત્રીજ આ છે પૂજાનુ યોગ્ય મૂહુર્ત

કેવડાત્રીજ આ છે પૂજાનુ યોગ્ય મૂહુર્ત
કેવડાત્રીજ ભાદરવા માસની ત્રીજના રોજ ઉજવાવામાં આવે છે. કેવડાત્રીજનુ વ્રત પતિની લાંબી આયુ માટે મહિલાઓ રાખે છે. ઉત્તર ભારતમાં આ વ્રત કુંવારી યુવતીઓ પણ કરે છે. કારણ કે એવુ માનવામાં આવે છે કે શિવ જીને પતિના રૂપમાં મેળવવા માટે આ વ્રતને પાર્વતીજીએ લગ્ન પહેલા કર્યુ.
Image result for કેવડા ત્રીજ

ભાદ્રપદના શુક્લપક્ષની તૃતીયાએ કેવડાત્રીજ ઉજવવામાં આવે છે. આ ઉપવાસમાં શિવ અને પાર્વતીનુ વિશેષ મહત્વ છે.

સવારે 5.45 વાગ્યાથી ત્રીજ લાગી જશે તેથી વ્રત કરનારી સ્ત્રીઓ અને યુવતીઓએ આ પહેલા જ રાત્રે 12 પહેલા જમીને છેલ્લે કાકડી ખાઈ લેવી. એવુ કહેવાય છે કે છેલ્લે કાકડી ખાવાથી મોઢુ શુદ્ધ થઈ જાય છે. આ વ્રત નિર્જળ મતલબ કે પાણી વગર રાખવામાં આવે છે. (જે લોકો નકોરડો ઉપવાસ ન કરી શકે તેઓ પાણી અને ફ્રૂટ લઈ શકે છે)

Image result for કેવડા ત્રીજ


એવુ કહેવાય છે કે મા પાર્વતીએ જંગલમાં જઈને ભગવાન શિવને પતિના રૂપમાં મેળવવા માટે અનેક વર્ષો સુધી પાણી પીધા વગર તપ કર્યુ હતુ જ્યાર પછી ભગવાન શિવે તેમને પોતાની પત્નીના રૂપમાં સ્વીકારી હતી




Comments