રામનારાયણ વિશ્વનાથ પાઠક

રામનારાયણ પાઠક

રામનારાયણ વિશ્વનાથ પાઠક (ઉપનામ: દ્રિરેફશેષસ્વૈરવિહારી) ગુજરાતી કવિ અને લેખક હતા. તેમના પર ગાંધીવાદી વિચારોનો ઉંડો પ્રભાવ હતો અને તેમણે વિવેચન, કવિતા, નાટક અને ટૂંકી વાર્તામાં યોગદાન આપ્યું હતું. તેમણે કેટલાક સંપાદનો અને ભાષાંતરો કર્યા હતા. ૧૯૪૬માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. ૧૯૪૯માં તેમને પ્રાચીન ગુજરાતી છંદો માટે નર્મદ સુવર્ણ ચંદ્રક અને બૃહદ પિંગળ માટે ૧૯૫૬માં સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો.
રામનારાયણ વિ. પાઠક
જન્મરામનારાયણ વિશ્વનાથ પાઠક
9 એપ્રિલ 1887
ગણોલધોળકા તાલુકોઅમદાવાદ જિલ્લો
મૃત્યુ21 ઓગસ્ટ 1955 (68 વયે)
મુંબઈ
ઉપનામદ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી
વ્યવસાયકવિ, વિવેચક, ટૂંકી વાર્તા લેખક, નિબંધકાર, પિંગળશાસ્ત્રી
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ
  • બી.એ.
  • એલ.એલ.બી.
માતૃસંસ્થાવિલ્સન કોલેજ, મુંબઈ
સમયગાળાગાંધી યુગ
નોંધનીય કાર્ય
  • બૃહદ પિંગળ
મુખ્ય પુરસ્કારો
  • નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૪૯)
  • સાહિત્ય અકાદમી એવોર્ડ (૧૯૫૬)
જીવનસાથીહીરા પાઠક

સહી

તેમનો જન્મ ગણોલધોળકા તાલુકોઅમદાવાદ જિલ્લોગુજરાત રાજ્ય, ભારત દેશમાં ૧૮ એપ્રિલ ૧૮૮૭ના દિવસે થયો હતો. તેમના પિતા શિક્ષક હતા. તેઓ મેટ્રિક પાસ થયા બાદ વધુ આગળ અભ્યાસ કરી વકીલ બન્યા. તેમનો જીવ વકીલાતના વ્યવસાયમાં અઢળક આવક હોવા છતાં ન લાગતાં, સાહિત્ય તેમ જ શિક્ષણ જેવાં ટાંચી આવક આપતાં ક્ષેત્રોમાં કાર્ય કરવા લાગ્યા. તેમણે પ્રસ્થાનમાસિક દ્વારા સાહિત્યના વિવિધ પાસાંઓ સાથે વિશેષ પરિચય કેળવ્યો.
તેમનાં નામમાં બે વાર ર અક્ષર આવતો હોવાને કારણે દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ પ્રગટ કરી. કાવ્યોની રચનાઓ તેમણે શેષ ઉપનામ દ્વારા કરી તેમ જ સ્વૈરવિહાર ઉપનામથી હળવી શૈલીના નિબંધો પણ લખ્યા છે.તેમ જ 'ખેમી' નવલકથા નો ઉલ્લેખ અનિવાર્ય છે.

બહુમાન

પ્રાજ્ઞ વિદ્યાપુરુષ રામનારાયણ પાઠકને સાહિત્ય ક્ષેત્રે તેમના મૂલ્યવાન યોગદાન બદલ અનેક સન્માન, પારિતોષિકો પ્રાપ્ત થયાં છે.
  • નર્મદ સુવર્ણચંદ્રક
  • મોતીસિંહજી મહિડા સુવર્ણચંદ્રક
  • હરગોવિંદદાસ કાંટાવાળા પારિતોષિક
આ ઉપરાંત ગાંધીયુગ તેમ જ સાક્ષરયુગના સાક્ષી એવા શ્રી પાઠકજી ગાંધીયુગના સાહિત્યગુરુ તરીકે વિશાળ શિષ્યવર્ગનો અપાર પ્રેમ અને આદર પામ્યા.

અવસાન

૨૧મી ઓગસ્ટ ૧૯૫૫ ના રોજ પાઠકજીનું હ્રદયરોગના હુમલાને કારણે અવસાન થયું.

Comments